Thursday, January 3, 2013

સફળતા







આપણે જ્યારે જન્મ લઈએ છે ત્યારે પ્રારબ્ધ લઈને જ જન્મ લઈએ છે . એમાં આ જીવનમાં સફળ થવું ન થવું નક્કી જ હોય છે .પણ એ નક્કી થયેલા પ્રારબ્ધ ને પણ સાકાર કરવા આપણે મહેનત કરાવી જ પડે છે .એ પણ આપણાં  કર્મને આધિન હોય છે .
                       આ દુનિયામાં લોકો લાદેન , દાઉદ અને ફૂલનદેવી ને પણ ઓળખે છે અને આ દુનીયાનાં લોકો મહાત્મા ગાંધીજી ,સંત શિરોમણી ડોંગરેજી મહારાજ અને મોરારી બાપુ ને પણ ઓળખે છે . આ બધાનાં કાર્ય થી એમની ઓળખાણ થઇ છે . નામ કેવું કમાવું એ આપણાં હાથમાં છે સફળતા સારા કાર્યમાં કે નરસા કાર્યમાં મેળવવી એ આપણે નક્કી કરવાનું છે .
                  સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે લોકોને કંઈક આપીએ છે ને ત્યારે જ લોકો આપણને કંઈક આપે છે .કલાકાર પોતાની કલા, સંગીતકાર પોતાનું સંગીત . લેખક પોતાનું સારું લેખન અને પ્રવચનકર્તા  પોતાની વાણી જ્યારે આપે છે . ત્યારે લોકો તેને અનુભવે છે ને યોગ્ય હોય તો તેઓ સ્વીકારે છે .ને પછી જ આપણી સફળતા કે નિષ્ફળતા નક્કી થાય છે .આપણાં વિચારો ને આપણાં શબ્દો થી આપણને સફળતા મળે છે . સફળતા મેળવવાનાં સંજોગો ઉભા પણ કરીએ છે અને સફળતા , વેરવિખેર પણ આપણાં થાકી જ થાય છે .
        અહંકાર અને આત્મા એક જ શરીરમાં વસે છે .આપણે કોને પ્રાધાન્ય આપીએ છે એનાં પર આપણાં સફળતાનાં દિવસોની ગણતરી રહેલી હોય છે .

સફળતાં નામ ત્રણ પાયા છે

1) સફળતાં મેળવવાં માટેની કોશિશ 
2)બીજું સફળતાં મેળવવી 
3)સફળતાં નું નાશ પામાંવું


આ ત્રણમાં જ એક વ્યક્તિની જિંદગી વીતી જાય છે . 75% લોકો સફળતાં મેળવવાની કોશિશમાં જિંદગી વિતાવી નાંખે છે .પણ તકદીર સાથ નથી આપતી ,25% લોકોને સફળતાં મળે છે . આમાંથી 5% લોકો પાસે ટકી રહે છે અને 2% લોકો સફળતાં પછીની નિષ્ફળતા જોવે છે અને દુખી થઈને મૃત્યુ પામે છે 
                     સફળતાં મેળવવાની કોશિશ એ ઝુનુંન છે, સફળતાં મળી જવી એ નશો છે ને સફળતાં ચાલી જવા પછી નશા માં ડૂબી જવું અને જિંદગી પૂરી કરવી અથવા મળેલી સફળતાં નાં નશામાં ડૂબી જવું અને અહંકારમા ડૂબી જવું ને બીજા બધાને ગૌણ ગણવાં , એ બધા સફળતાં નાં જ એક પ્રકાર માં આવે છે .
                 સફળતાં હંમેશ નિષ્ફળતાનાં પાયામાં જ રહેલી હોય છે . જે વ્યક્તિ કાર્ય કરે છે એને નિષ્ફળતા પણ મળે છે . પણ પછી હિંમત હાર્યા વગર એ જ કાર્યને વધારે સરખી રીતે કરીને સફળતાં પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે . 
સફળતાં અને ડર સિક્કાની બે બાજુ છે . જે વ્યક્તિ ને સફળતાં મળે છે એ હંમેશ ડરેલો હોય છે કે હજારો આંખો મને અને મારા કાર્યને જોવે છે ને મારાથી જરા પણ ભૂલ ના થાવી જોઈએ . હું જે કાર્ય કરું એ સારું જ થવું જોઈએ , મારા વાણી વર્તનમાં હંમેશ વિવેક જળવાવો જોઈએ . અને તે સારું જીવન જીવવા માટે સજાગ થઇ જાય છે . એને ખબર છે કે હવે એનાં નામથી એનાં માતા પિતા,બાળકો અને પરિવારની ઓળખ અપાશે .જે લોકો આ યાદ રાખે છે એનાથી સફળતાં જરાય દૂર નથી થતી .
                           પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે સફળતાં મળતા જ આખી દુનિયાને તુચ્છ ગણવા લાગે છે .તેઓ એ ભ્રમમાં જીવવા લાગે છે કે આખી દુનિયા એમનાં થાકી જ ચાલે છે . નાના હોય કે મોટા તે કોઈનું અપમાન કરતા અચકાતા નથી .પોતાની મરજી પ્રમાણે બધા કરે એવું જ તેઓ ઇચ્છે છે . અને જ્યારે નિષ્ફળતાં એમને ઘેરી વળે  છે ત્યારે તેમને જીવન ભારી પડી જાય છે . 
                હમણાનો  તાજો ઉદાહરણ લઈએ તો રાજેશખન્નાનું જીવન,  એમનાં બહુ બધા લેખ વાંચ્યાં ,ત્યારે એક વાર વાચ્યું કે સફળતાં જ્યારે એમનાં ચરણોમાં આળોટતી હતી ,લોકો એમનાં નામ પાછળ પાગલ હતા, એમનાં ફોટા સાથે છોકરી ઓ લગ્ન કરતી હતી ત્યારે એમને એક વિચાર આવ્યો કે જો આ સફળતાં ઓસરી ગઈ તો ? શું હું  સહન કરી શકીશ .અને તેઓ જુહુનાં દરિયા કિનારે આત્મહત્યા કરવા ગયાં , એમને એવો વિચાર કર્યો કે જ્યારે મારા સફળાતાના દિવસો ચાલે છે ત્યારે જ જો હું  મૃત્યુ પામું તો હું એક દંતકથા બની જઈશ . સફળ પામેલા વ્યકતીના મનમાં રહેલો નિષ્ફળતાનો  ડર આ વાતથી સાબિત થાય છે . તેઓ આત્મહત્યા કરવા ગયા , દરિયામાં બહુ અંદર સુધી ગયા પણ દરિયાનાં મોજાઓ એ એમને પાછા  કિનારા પર રાખી દીધા .તેથી તેમને મનનાં  ખુણામાં કદાચ અભિમાન આવી ગયું હશે કે કુદરત પણ મને બચાવવા માંગે છે , અને કુદરતની એ મહેરને તેઓ પચાવી ના શક્યાં , અને સફળતાના અહંકારમા તેઓ પોતાની રીતે જ જીવવા લાગ્યાં .ક્યાંય સમય પર ના પહોચવું એ એમની ખાસિયત હતી , અને આખરે સફળતા એ એમનો સાથ છોડી દીધો , ને પછી વર્ષો સુધી તેઓ એકલાતામાં જીવ્યાં . તેમનાં પોતાનાઓ તેમનાથી દુર ચાલ્યા ગયા , કોઈએ એમની દરકાર પણ ના લીધી કે એક સમયનાં  સુપરસટાર રાજેશખન્ના કેવી રીતે જીવે છે .
                સફળતા મેળવવા ઉત્તમ માં ઉત્તમ કાર્ય કરતુ રહેવું જોઈએ , જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે શાળામાં મેં એક વેશભૂષા હરીફાઈ માં ભાગ લીધો હતો . મારી મમ્મી એ મને ખુબ તૈયાર કરી હતી , પણ મને ડર લાગતો હતો કે મને ઇનામ નહિ મળે તો ? ત્યારે મમ્મી એ એક વાક્ય કહ્યું હતું કે ઇનામ મળે કે ન મળે , તું એની ફિકર નાં કર બેટા , બસ હું ઇચ્છુ કે તું ત્યાં તારું 100% આપજે . મામ્મીનાં એ એક વાક્ય થી જિંદગી ભર માટે હાર કે  જીતનો ડર મનમાં થી નીકળી ગયો . અને નક્કી કરી લીધું કે જે કરવાનું તે 100% કરવાનું , બાકી હરીઈચ્છા ..
            સફળતાનો નશો ખૂબ જ ખરાબ હોય છે , જો મળે તો પણ વ્યક્તિ નશામાં ડુબે છે અને ન મળે તો પણ વ્યક્તિ નશામાં ડુબે છે .સફળતા પચાવવા માટે એક વિરલા વ્યક્તિ બનવું પડે છે। 
        સફળતા પચાવી જવામાં લગભગ ગૃહિણી ઓ જ પ્રથમાં નંબરે આવે , 

લીના ત્રિવેદી પોતાની એક પક્તિઓમાં લખે છે કે 

       " તણાતી ગઈ, તણાતી ગઈ , તણાતી ગઈ ને તુટતી ગઈ ,
એક ટુકડો પત્ની , બીજો ટુકડો ગૃહિણી , ત્રીજો માં 
અસંખ્ય ટુકડામાં વિભાજીત થઇ 
રેત બની ને રણમાં પથરાતી રહી "

                                                                                                નીતા કોટેચા "નિત્યા"